Sunday, 3 November 2013

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૩૮મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓની હાજરીમાં ૩૧ ઓક્ટોબર, ૨૦૧૩ના દિવસે શિલાન્યાસ કરવામાં આવ્યો

૨૫૦૦ કરોડના 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની ખાસ વાતો
- 'સાધુ બેટ' ટાપુ પર ગોઠવવામાં આવશે
- તાર નાખેલું કોંકરેટ અને પંચધાતુનું કોટીંગ ઉપયોગમાં લેવાશે
- નર્મદા નદીના 'સાધુ બેટ' નામના ટાપુ પર નર્મદા ડેમ દેખાય એ રીતે સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા ગોઠવવામાં આવશે.
- આ સ્ટેચ્યુની કુલ ઊંચાઈ જમીન લેવલથી ૨૪૦ મીટર હશે, જેમાં મૂર્તિની ઊંચાઈ ૧૮૨ મીટર (વિશ્વની સૌથી ઊંચી) અને તેના પાયાની ૫૮ મીટર ઊંચાઈ રહેશે.
- 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના સાધુ બેટને નદીના કિનારા સાથે જોડતો એક બ્રિજ બાંધવામાં આવશે. આ કિનારાની જગ્યામાં સ્મૃતિગૃહ, ગાર્ડન, મુલાકાતીઓ માટેની ઓફિસ, હોટેલ, મનોરંજન પાર્ક, રિસર્ચ સેન્ટર પણ બનાવવામાં આવશે.
- સ્ટેચ્યુમાં સ્ટીલ ફ્રેમિંગ, લોખંડ સળિયા કે તાર નાખેલું કોંકરેટ અને પંચધાતુનું કોટીંગ ઉપયોગમાં લેવાશે.
- આ સ્ટેચ્યુ માટે દેશના ખેડૂતો પાસેથી લોખંડ ઉઘરાવવામાં આવશે જેના માટે 'સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ'ની ૩૬ જેટલી ઓફિસો દેશભરમાં ખોલવામાં આવશે.
- 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' સાથે એક ભારવાહક ખુલ્લી લિફટ પણ બનાવવામાં આવશે જે સ્ટેચ્યુના માથા સુધી જશે અને ત્યાં ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમનું વિશાળ દ્રશ્ય જોઈ શકાશે.
- ૫૦૦ ફુટની ઊંચાઈએ ૨૦૦ લોકો એક સાથે એક સમયે સાતપુડા, વિદ્યાચલ પર્વતમાળાઓ, ૨૫૬ કિલોમીટર લાંબુ સરદાર સરોવરનું જળાશય અને ૧૨ કિલોમીટર લાંબુ ગરૃડેશ્વરનું જળાશય નિહાળી શકે તેવી જગ્યા રાખવામાં આવશે.
- 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પ્રોજેકટ કુલ ૨૫૦૦ કરોડ રૃપિયાનો થશે જેને પૂર્ણ થતાં આશરે ૪ વર્ષ જેટલો સમય લાગશે.
- સરદાર વલ્લભભાઈ પટેલની ૧૩૮મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓની હાજરીમાં ૩૧ ઓક્ટોબર, ૨૦૧૩ના દિવસે શિલાન્યાસ કરવામાં આવ્યો છે.
- આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ભારતની જ નહિ પણ સમગ્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સાબિત થશે.gujaratsamachar

No comments:

Post a Comment