Wednesday 27 November 2013

શિખરની તોફાની સદી, ભારતે 2-1થી સિરિઝ ઉપર મેળવી જીત

કાનપુર, 27 નવેમ્બર
આજની કાનપુર વન ડે ક્રિકેટ મેચમાં ટીમ ઇન્ડિયા જીત પ્રાપ્ત કરીને 2-1 સિરિઝ જીતી લીધી છે. ભારતીય ટીમ જીત માટે 264 રનનો લક્ષાંકનો પીછો કરી રહી છે. ત્યારે ભારતીય ટીમના યુવા ખેલાડી શિખર ધવલે શાનદાર સદી લગાવીને ભારતને જીત આપાવી હતી. ભારતે પાંચ વિકેટે મેચ જીતીને 2-1 થી સિરિઝ પોતાના નામે કરી લીધી હતી. ભારતે સતત વન ડે ક્રિકેટની 6ઠ્ઠી સિરિઝ પોતાના નામે કરી લીધી છે.
ભારતીય ટીમ માટે કાનપુરનું ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખૂબજ લકી માનવામાં આવે છે. આજે ભારતીય ટીમ આ મેદાન ઉપર તેની 11 ક્રિકેટ મેચ રમવા જઇ રહ્યું છે અને અત્યાર સુધીમાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારતીય ટીમે રમેલી મેચો માંથી 8 મેચમાં જીત મેળવી છે. ભારતીય ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની યુવા સેનાએ આજે બેટિંગનો પાવર દેખાડીને ગ્રીન પાર્ક સ્ટેડિયમની માન્યતાને સાચી પાડી છે. ભારતે 11 વન-ડે ક્રિકેટ રમી હતી જેમાંથી 9 મેચ ઉપર જીત મેળવી લીધી છે...info...sandesh.com

No comments:

Post a Comment